Q AND A

પ્રશ્ન 28: ગુરુમંત્ર આત્મસાત્ કરવો એટલે શું?

સ્વામીજી : ગુરુમંત્ર ફક્ત કેટલાક શબ્દોનો સમૂહ નથી, ગુરુમંત્ર તે પવિત્ર ગુરુઓના ત્યાગનો, તપસ્યાનો, સાધનાનો એક સજીવ સ્ત્રોત છે. તેની અંદર પ્રત્યેક શબ્દમાં એક ચૈતન્ય શક્તિ ભરેલી છે. તે જ કારણે તે મંત્રને આત્મસાત્ કરવો એટલે તે મંત્રના માધ્યમ દ્વારા પોતાના અસ્તિત્વને વિશ્વચેતનામાં મર્જ(વિલીન) કરવું છે. આ મંત્રની ઉર્જા ઉધ્વગામી છે. ઉધ્વગામી એટલે એક લેવલથી બીજા લેવલ સુધી, બીજા લેવલથી ત્રીજા લેવલ સુધી આવા સાત પગથિયાં પાર કરીને આ મંત્ર આપને એક શૂન્યની અવસ્થા પ્રદાન કરે છે. જે ધ્યાનથી પણ ઉપરની એક સ્થિતિ છે. નિર્વિચારતાથી પણ ઉપરની એક સ્થિતિ છે. આ ફક્ત શબ્દોનો સમૂહ નથી. તેની ઉર્જાની સાથે, તેની શક્તિની સાથે જોડાવું જ તેને આત્મસાત્ કરવું છે. મેં મારા જીવનમાં 'શ્રી શિવકૃપાનંદ સ્વામી' આ નામ કદી પણ નથી સાંભળ્યું. આપે સાંભળ્યું હોય તો ખબર નથી. શિવાનંદ હશે, કૃપાનંદ હશે, પરંતુ સંપૂર્ણ એક નામ... આ નામની અંદર સંપૂર્ણ ઉર્જા ભરેલી છે અને એક સ્થાનથી બીજા સ્થાન સુધી ફક્ત તે ઉર્જાના માધ્યમ દ્વારા આપણે પહોંચી શકીએ છીએ. આવા ઉર્જા ભરેલા મંત્રનું માધ્યમ બનાવીને ગુરુઓએ પોતાની શક્તિઓ આપણાં સુધી પહોંચાડી છે ...Continue...

મધુચૈતન્ય : જુલાઈ-સપ્ટેમ્બર, 2009.

પ્રશ્ન 28: ગુરુમંત્ર આત્મસાત્ કરવો એટલે શું?

Continue... અને જેમ આજે સવારે જ મેં કહ્યું હતું, આધ્યાત્મિક ક્ષેત્રમાં 'અધિકૃત' શબ્દનું અત્યાધિક મહત્વ છે. તો આ મંત્રને ગુરુઓએ અધિકૃત કર્યો છે અને અધિકૃત કરવાના કારણે આ મંત્ર દ્વારા આપને સુરક્ષા, આ મંત્ર દ્વારા આપને શાંતિ, આ મંત્ર દ્વારા આપને સમાધાન, આ મંત્ર દ્વારા આપને અનુભૂતિ પ્રાપ્ત થાય છે. તેથી આવા મંત્રને આત્મસાત્  કરવો એટલે, આ બધા લાભને સ્વયં જ પ્રાપ્ત કરી લેવા છે. તો આ આપણે આત્મસાત્  કર્યો છે કે નથી કર્યો, તેનું પરિક્ષણ આપણે સ્વયં જ પોતાની ઉપર કરી શકીએ છીએ કે આ મંત્ર દ્વારા શું આપણને સુખ મળ્યું છે, શું આપણે શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ, શું આપણે અનુભૂતિનો અનુભવ કરી રહ્યા છીએ, શું આપણે પોતાની જાતને સુરક્ષિત માની રહ્યા છીએ, શું આપણને સુરક્ષા પ્રાપ્ત છે કારણ કે જો આત્મસાત્ કર્યો હોય તો આ બધી વાતો આપે અલગ-અલગ મેળવવાની આવશ્યક્તા જ નથી રહેતી...Continue...

મધુચૈતન્ય : જુલાઈ-સપ્ટેમ્બર, 2009.

પ્રશ્ન 28: ગુરુમંત્ર આત્મસાત્ કરવો એટલે શું?

Continue...આ બધી બાબતો આપને મંત્રની સાથે જ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આવશ્યક્તા છે-આ મંત્રનું ઉચ્ચારણ યોગ્ય સ્થાન પર કરવામાં આવે, યોગ્ય સમયે કરવામાં આવે કારણ કે બધા સ્થાનો ઉપર આપણે ઉર્જા ગ્રહણ કરવાની સ્થિતિમાં નથી હોતા. જેમ ભોજન કરવા માટે આપણે જોઈએ છીએ ને? કોઈ પવિત્ર સ્થાન જોઈશું, સ્વચ્છ સ્થાન જોઈશું, સારું જોઈશું, પછી ભોજન કરવા માટે ત્યાં રોકાઈશું અથવા ભોજન કરવા બેસીશું. તો જ્યારે શરીરનું ભોજન કરવા માટે આપણે આટલું ધ્યાન રાખીએ છીએ, આટલી નાની-નાની વાતોનું ધ્યાન રાખીએ છીએ, આ તો આત્માનું ભોજન છે! આત્માનું ભોજન કરવા માટે પણ તેટલી આવશ્યક્તા છે કે, આપણે પવિત્ર સ્થાન જોઈએ, સારું સ્થાન જોઈએ, સારો સમય જોઈએ, સારું વાતાવરણ જોઈએ અને એક અનુકૂળ વાતાવરણમાં જો આપણે તેને લઈએ, તો ધીરે ધીરે કરતા તે આત્મસાત્  થઈ જાય છે અને આત્મસાત્ થયા પછી આ બધા બતાવેલા ફાયદા આપને આપો-આપ મળી જાય છે. તો આત્મસાત્ થવું એટલે તેની સાથે પૂરી એકરૂપતા સ્થાપિત કરવાની છે.

મધુચૈતન્ય : જુલાઈ-સપ્ટેમ્બર, 2009.
પ્રશ્ન 29: અમને જે વાઈબ્રેશન્સ પ્રાપ્ત થાય છે, તે બહારથી અંદર જાય છે કે અંદરથી બહાર?

સ્વામીજી : આ અંદરથી બહાર જાય છે.

મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર, 2004.

પ્રશ્ન 30 : જો આ અંદરથી બહાર જાય છે તો આપણે એમ કેમ કહીએ છીએ કે અમને વાઈબ્રેશન્સ 'મળ્યા હતા' , 'પ્રાપ્ત થયા' ?

સ્વામીજી : ખરેખર આપને જે અનુભવ થયો, તે આપનાં ચક્રોના સાફ થવાનો અનુભવ છે. જે રીતે એક ગંદી બોટલને પાણીથી સાફ કર્યા પછી એમ નથી કહેવું પડતું કે સાફ હવા અંદર આવી જા. તે સ્વયં આવી જાય છે. બરાબર તે જ રીતે, જેવા આપણાં ચક્ર સ્વચ્છ થતા જાય છે, તેમ-તેમ આ વૈશ્વિક ચૈતન્ય આપણી અંદર પ્રવેશ કરતું જાય છે અને આપણને સુંદર-સુંદર અનુભૂતિઓ પ્રાપ્ત થવા લાગે છે.

મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર, 2004.
પ્રશ્ન 31 : ગુરુ દ્વારા જે ચૈતન્ય પ્રાપ્ત થાય છે, તે કોનું ચૈતન્ય છે?
સ્વામીજી : તે ચૈતન્ય વૈશ્વિક ચૈતન્ય છે, એટલે કે પરમાત્માનું ચૈતન્ય છે.
મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર, 2004.

પ્રશ્ન 32: શું બધાના વાઈબ્રેશન્સ (ચૈતન્ય) એક સમાન હોય છે ?
સ્વામીજી : હા, બધાના વાઈબ્રેશન્સ એક સમાન હોય છે કારણ કે તે એક જ વૈશ્વિક ચૈતન્ય છે. આ અલગ-અલગ લોકોને અલગ-અલગ રીતે અનુભવ થાય છે.
મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર, 2004.

પ્રશ્ન 33 : પૂ. સ્વામીજી, મારો અનુભવ છે કે આપના આપેલા મંત્ર 'ૐ શ્રી શિવકૃપાનંદ સ્વામી નમો નમઃ' ને ત્રણવાર શિબિરમાં બધાની સાથે બોલવાથી મારી કુંડલિની શક્તિ જાગૃત થઈ ગઈ અને મારા બંને હાથમાં મને વાઈબ્રેશન અનુભવ થયા. આ કેવી રીતે સંભવ થયું? શું એક મંત્રને શ્રદ્ધાપૂર્વક બોલવાથી કુંડલિની શક્તિ જાગૃત થઈ શકે છે? કૃપા કરી આપ આ મંત્રની સિદ્ધિ અંગે સવિસ્તાર સમજાવો.

સ્વામીજી : આ મંત્રને મારા ગુરુઓએ પાછલા 800 વર્ષોથી હવામંડળમાં સ્થાપિત કરીને રાખ્યો હતો. થેથી તેમાં આટલી શક્તિ છે. બીજું, આ મંત્ર જીવંત ગુરુ દ્વારા અપાયેલો છે. તેથી જીવંત અનુભૂતિ આવશે જ કારણ કે આની પાછળ ખૂબ મોટી સાધના છે અને તે તપસ્યાના કારણે તેમાં ખૂબ મોટી શક્તિ નિર્માણ થઈ છે. જેની શક્તિ આપ લોકોના દ્વારા ધ્યાન સાધનાથી વધતી જ જશે. તેમાં જેટલી સામૂહિકતા વધશે, તેટલી તેમાં શક્તિ વધવાનું થતું જશે. મંત્રની સાથે-સાથે આ વખતે મારા પૂર્ણ સ્વરૂપના ચિત્રનો ફોટો બનાવવામાં આવ્યો છે. જો તે કોઈપણને આપશો, તો આગળ આપે કંઈપણ કરવું નહીં પડે. ફોટો પોતે જ બધા કામ કરશે. તેમાં એટલી શક્તિ ભરેલી છે.

મધુચૈતન્ય : જૂલાઈ-સપ્ટેમ્બર, 2002.
પ્રશ્ન 34 : સ્વામીજી, આપ અમને હંમેશા કહો છો કે અમારું ચિત્ત આપના સૂક્ષ્મ શરીર પર હોવું જોઈએ, સ્થૂળ શરીર પર નહિ. અમને કેવી રીતે ખબર પડે કે અમારું ચિત્ત આપના સૂક્ષ્મ શરીર પર છે ?

સ્વામીજી : એક સ્થૂળ શરીર દ્વારા આટલા બધા લોકોની કુંડલિની શક્તિની જાગૃતિ થવી અસંભવ છે, કોઈ શરીર પર્યાપ્ત નથી. જે આટલા બધા લોકોના આત્માની જગૃતિ કરી શકે. આ તો જન્મો-જન્મની ઇચ્છાશક્તિ છે. જાગૃતિ, ચૈતન્યનું માધ્યમ, સ્થૂળ શરીર હોય શકે છે. પરંતુ આ ફક્ત માધ્યમ છે. સૂક્ષ્મ શરીર ચૈતન્યનો ભંડાર છે. જ્યારે પણ આપને એવો પ્રશ્ન ઉઠે કે મારું ચિત્ત સૂક્ષ્મ શરીર પર છે કે નહિ, ત્યારે આપ પોતાના બંને હાથ સામે રાખીને ચિત્તને સહસ્ત્રાર પર રાખજો. જો આપના બંને હાથમાંથી ચૈતન્યની લહેરીઓ ફૂટી પડે તો સમજી લેજો કે આપનું ચિત્ત સૂક્ષ્મ શરીર પર છે. નહીં તો નહીં.

મધુચૈતન્ય : જૂલાઈ-સપ્ટેમ્બર, 2002.
પ્રશ્ન 35 : ધ્યાનમાં ઘણા લોકોને સુગંધનો અનુભવ થયો પરંતુ તેનું વર્ણન બધાએ અલગ-અલગ કર્યું. તેવું કેમ થયું ?

સ્વામીજી : ધ્યાનમાં એક જ સુગંધ હોય છે. પરંતુ જેમને જે ફૂલ પસંદ હોય તેની તેમને સુગંધ આવે છે. જે રીતે ધ્યાન દરમ્યાન અલગ-અલગ સાધકને અલગ-અલગ ગુરુ કે દેવતાઓના દર્શન એક જ સમયે થાય છે. કોઈને સાંઈબાબા, કોઈને નિત્યાનંદ મહારાજ, કોઈને રામ, કોઈને હનુમાનજીનાં દર્શન થાય છે. એવું તેઓ વર્ણન કરે છે. તેનો અર્થ એ છે કે કોઈના મનમાં ભગવાન એટલે કે શિવ. એવી જ કલ્પના હોય તો તેમને શિવના જ દર્શન થાય છે. ધ્યાનના માધ્યમથી આપની અંદર દેવત્વ જાગૃત થાય છે. તેના કારણે આપણી જેવી કલ્પના હોય અને આપને જેમની ઉપર આસ્થા હોય તેમના જ દર્શન થાય છે.
જેમ આપ એક જ વિદ્યુતશક્તિને અલગ-અલગ સાધનથી ઓળખો છો - ફ્રીજ, ગીઝર, લાઈટ, પંખા વિગેરે એક જ વિદ્યુતના અનુભવ અલગ-અલગ છે. ક્યાંક ગરમ તો ક્યાંક ઠંડો. આપ તેનો જેવો ઉપયોગ કરશો, તેવી આપને અનુભૂતિ થશે. જ્યારે આપમાં પરમાત્મા પ્રત્યે સારા ભાવ હશે, આપમાં તેમના પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ હશે, તો આપ પરમાત્માના ચૈતન્યનો સારો અનુભવ કરશો. સૌથી મહત્વપૂર્ણ છે -
ભાવ. જો આપમાં શ્રદ્ધા અને સમર્પણનો ભાવ હશે, તો આપ તેને સારી રીતે ગ્રહણ કરી શકશો. ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ બંને સાથે ચાલે છે, ત્યારે કાર્ય થાય છે.

મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2002.
પ્રશ્ન 36 : સ્વામીજી, કૃપા કરીને સમજાવો કે આરતી કરવાથી અમને શું લાભ થાય છે ?

સ્વામીજી : જ્યારે આપણે પૂજા કરીએ છીએ, ક્રમબદ્ધ રીતે પૂજા કરતાં-કરતાં આરતી પૂજાનો અંતિમ ભાગ છે. બાકી બધા માધ્યમ છે, આરતી મંઝિલ છે. તે આરતી સુધી પહોંચતા-પહોંચતા આપ ક્રમબદ્ધ રીતે એકરૂપ થઈ જાઓ છો. ત્યારબાદ આરતી જ્યારે એક જીવંતગુરુની કરો છો, ત્યારે તેમાંથી ચૈતન્ય ફૂટી પડે છે. તેના સૂક્ષ્મ શરીરને ઉર્જાથી ચૈતન્ય વહેવા લાગે છે. તે ફક્ત આપને જ નહીં, આજુબાજુના સમગ્ર વાતાવરણ, આખા ઘરના વાતાવરણને ઉર્જાથી આચ્છાદિત કરી નાખે છે. જેનાથી સમગ્ર વાતાવરણમાં એક પ્રસન્નતા છવાઈ જાય છે અને આપને એક શૂન્યની અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. ઘણા સાધકોને અનુભવ થાય છે કે ધ્યાન દરમ્યાન જે એકાગ્રતા નથી આવતી, તે આરતી કરતાં-કરતાં જ આવી જાય છે અને ધ્યાનમાં પ્રગતિ થઈ ગઈ છે. બીજું, ગુરુની સૂક્ષ્મ ઉર્જાનું ઓરા અને આપની વચ્ચે અગ્નિ પ્રજ્વલિત થાય છે, જેનાથી આપનું ચિત્ત તે અગ્નિ પર જાય છે જે પવિત્ર છે. તેનાથી બમણી ઊર્જાશક્તિ નિર્માણ થાય છે. જેનો લાભ આપને અને આપના આખા ઘરને મળે છે. તેનો અનુભવ ઘણા સાધકોને થયો છે, આ અનુભવ કરવાની વાત છે. આપે પોતે તેનો અનુભવ કરવો જોઈશે. જે રીતે સુગંધનું વર્ણન નથી કરી શકાતું, તેને ચિત્રિત નથી કરી શકાતી, તેનો ફોટો નથી લઈ શકાતો, એટલે કે તેની અભિવ્યક્તિ કરવી મુશ્કેલ છે. તે જ રીતે ચૈતન્ય એક જીવંત ઉર્જાશક્તિનો પ્રવાહ છે, જેનો આપે અનુભવ કરવો હોય તો એક મહિનો સતત ઘરમાં આરતી કરો અને તેનો પ્રભાવ ઘરમાં કેવો પડે છે, તે આપ સ્વંય અનુભવ કરીએ જૂઓ. તે અનુભવ જ આપને સત્યનું ભાન કરાવશે
.
મધુચૈતન્ય : જૂલાઈ-સપ્ટેમ્બર, 2002.
પ્રશ્ન 37 : અમને ગુસ્સો કેમ આવે છે?

સ્વામીજી : એમ માનો કે આ હોલ છે, હોલની અંદર આ ઇલેક્ટ્રિકની લાઇન જઈ રહી છે, (કરંટ) એક સ્થાનથી એક સરખો જઈ રહ્યો છે. પરંતુ એકાદ સ્થાન ઉપર જો વાયર ખૂબ વધારે ગરમ થઇ રહ્યો છે, તો તેનો અર્થ એમ છે ખરો કે તેની ઉપર ત્યાં લોડ આવી રહ્યો છે ? નહીં. લોડ તો બધા સ્થાને એક સરખો આવી રહ્યો છે. પરંતુ તે વાયર ગરમ થઇ રહ્યો છે તેનો અર્થ તે વાયર ત્યાં નબળો છે, ત્યાં વીક છે. તો બરાબર તે જ રીતે, ગુસ્સો તે વ્યક્તિને કદી કોઈ ગુસ્સો નથી આવતો અને બીજું, આમ તો આપ પોતાના ચિત્તને એટલું શુદ્ધ કરી લો, એટલું પવિત્ર કરી લો કે - એટલે, આપના મનમાં કોઈ પ્રત્યે કોઈ દુર્ભાવના નથી. તેમ છતાં જો આપ કોઈને ઠપકો આપો છો, કોઈને આવું કરો છો, તેની કોઈ ખરાબ અસર તેની ઉપર નહીં પડે, તેને કંઈ ખરાબ નહીં લાગે. તેથી ગુસ્સો કરવો સારી વાત નથી. એક અસંતુલિત સ્થિતિનો દ્યોતક છે. એટલે આપની સ્થિતિ દુર્બળ છે, આપણી સ્થિતિ વીક છે, તેથી ગુસ્સો આવી રહ્યો છે અને ગુસ્સો તે વ્યક્તિઓને આવે છે, જેઓ ભૂતકાળના વધારે વિચાર કરે છે. જેઓ પાછળના વિચાર વધારે કરે છે ને, તેઓ વિચાર કરતાં-કરતાં, કરતાં અસંતુલિતની સ્થિતિ નિર્માણ થઈ જાય છે અને પછી તેમને ગુસ્સો આવે છે. તેમનું લિવર પણ ગરમ હોય છે ; એટલે તેઓ વાંચવા બેસશે, તો પણ તેમનું ચિત્ત એકાગ્ર નહીં થાય. એકાગ્ર એટલે નહીં થાય કારણ કે તેમનું લિવર ગરમ છે. એટલે, એક અસતુલનની સ્થિતિ તેમના જીવનમાં નિર્મિત હોય છે.
મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2010.

પ્રશ્ન 38 : સ્વામીજી, હું ખૂબ જ દુઃખી છું. આપ એવો કોઈ ચમત્કાર કરી શકો છો કે મારાં બધાં દુઃખ જતા રહે અને હું સારો થઈ જાઉં?

સ્વામીજી : થઈ શકે છે, પરંતુ તેના માટે આપ ઈચ્છા કરવાની આવશ્યકતા છે. કારણ, દુઃખ તમારું છે, તેથી તમારે તેને છોડવું જોઈશે. તમારે પૂર્ણ ભાવથી તેના માટે સમર્પિત થવું જોઈશે અને આપ્યા પછી તમારે ફરી તેને યાદ નથી કરવાનું. જેમ આપણે કોઈ વસ્તુ દાન કરી દઈએ છીએ તો તેને પાછી માગતાં નથી. તો તમે તમારા દુઃખોનું મને દાન કરી દો. દુઃખ તમારું છે, દાન પણ તમારે કરવાનું છે. બધું જ તમારે કરવાનું છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે હવે શું કરવાનું છે.

મધુચૈતન્ય : જાન્યુઆરી-માર્ચ, 2007.
પ્રશ્ન 39 : સ્વામીજી, ભૂતકાળમાં મારાથી પાપ ઘટિત થયા છે અને હું તે ભૂલી પણ ગયો હતો પરંતુ આ ગુરુપૂર્ણિમામાં મને મારી ભૂલોનો અહેસાસ થઈ રહયો છે અને હું આત્મગ્લાનિ અનુભવી રહ્યો છું. આવું કેમ ? સ્વામીજી, હવે હું શું કરું?

સ્વામીજી : મેં જેમ કાલે કહ્યું કે ગુરુપૂર્ણિમા આત્માનો ઉત્સવ છે, ગુરુ પૂર્ણિમાના દિવસે મારી સ્થિતિ તો તેવી જ જોય છે, જેવી આખા વર્ષમાં હોય છે. તેમાં મને કોઈ બે હાથમાંથી ચાર હાથ નથી થતા. પરંતુ આપની સ્થિતિમાં જમીન-આસમાનનો ફરક હોય છે. એટલો ફરક હોય છે કે દર વર્ષે હું ગુરુપૂર્ણિમાની રાહ જોતો હોવ છું. આહા! ગુરુપૂર્ણિમા આવશે, બધા સાધક ત્યાં સારી સ્થિતિમાં પહોંચશે, સારી અવસ્થામાં રહેશે. તો, જ્યારે આપ આત્માની નજીક જાઓ છો, અને આત્માઓની સામૂહિકતામાં જાઓ છો, આત્માઓ ક્લેક્ટિવિટીમાં જાઓ છો તો પછી એક શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. મેં કહ્યુંને કે ઘણી બધી સામૂહિકતા જ્યારે થઈ જશે તો આત્મા શરીર ઉપર હાવી થઈ જશે. તો પછી આત્માના વિરોધમાં જઈને તમે જે કાર્ય શરીરથી કર્યા હશે, ત્યારે પણ આત્માએ કહ્યું હતું, આ કાર્ય કરવું ઉચિત નથી, આ ન કરો. પરંતુ આપે તેને દબાવી દીધો. તો તેનો અર્થ સાક્ષીના રૂપમાં તે આત્મા બરાબર જોઈ રહ્યો હતો, આપના ખરાબ કાર્ય પણ જોઈ રહ્યો હતો. આપને લાગે છે કે ખરાબ પાપ કરતી વખતે કોઈ આપને જોતું નથી...
Continue...

ચૈતન્યધારા : પાનાં નં.- 28-29.
પ્રશ્ન 39 : સ્વામીજી, ભૂતકાળમાં મારાથી પાપ ઘટિત થયા છે અને હું તે ભૂલી પણ ગયો હતો પરંતુ આ ગુરુપૂર્ણિમામાં મને મારી ભૂલોનો અહેસાસ થઈ રહયો છે અને હું આત્મગ્લાનિ અનુભવી રહ્યો છું. આવું કેમ ? સ્વામીજી, હવે હું શું કરું?

Continue...જુએ છે ને ! આત્મા હંમેશા બધું જોતો હોય છે અને આપના આત્મા સાથે મારો સંબંધ સ્થાપિત છે. તેથી મને પણ બધું દેખાતું હોય છે. પછી હું પણ બુદ્ધુ બનીને તમારી સાથે બેઠો રહું છું. જેમ જેમ આત્માનું શુદ્ધિકરણ થાય છે, તેમ-તેમ આપણી અંદરના દોષ આપણને દેખાવા ચાલુ થઈ જાય છે. જેમ કોઈ ફાનસ સળગાવવામાં આવે તો સળગાવ્યા પછી તેમની ચીમની ઉપર ક્યાં-ક્યાં ડાઘા છે, ક્યાં-ક્યાં ધાબા છે, તે બધા પહેલા દેખાવા ચાલુ થઈ જશે કારણ કે તે એકદમ નજીક છે, એકદમ પાસે છે. બરાબર તે જ રીતે, આપના શરીર દ્વારા ઘટિત થયેલા પાપ આપના આત્માની સૌથી નજીક છે અને જ્યારે તે આત્માની જ્યોત પ્રગટ થશે ત્યારે તે પાપ દેખાવા ચાલુ થઈ જશે. આ સ્વભાવિક પ્રક્રિયા છે. તો , આ થયું , તમે જણાવ્યું. ઘણા બધા લોકો ને થયું છે, ઘણા બધા લોકોનો અનુભવ છે, પરંતુ તેમણે ન જણાવ્યું, બસ તેટલો ફરક છે. તો, આવું કોઈને પણ થયું હોય તો તેણે આશ્ચર્યમાં પડવાની કે તેમાં દુઃખી થવાની કોઈ આવશ્યક્તા નથી. એક સ્વભાવિક પ્રક્રિયાની અંતર્ગત જ્યારે આત્મા પ્રવિત્ર થયો તો આત્માને શરીરના દોષ દેખાવા લાગ્યા...Continue...

ચૈતન્યધારા : પાનાં નં.- 28-29.
પ્રશ્ન 39 : સ્વામીજી, ભૂતકાળમાં મારાથી પાપ ઘટિત થયા છે અને હું તે ભૂલી પણ ગયો હતો પરંતુ આ ગુરુપૂર્ણિમામાં મને મારી ભૂલોનો અહેસાસ થઈ રહયો છે અને હું આત્મગ્લાનિ અનુભવી રહ્યો છું. આવું કેમ ? સ્વામીજી, હવે હું શું કરું?

Continue...આ સમયે શું કરવાનું ? આ સમયે પોતાની જાતને યાદ અપાવવાની કે હું ગુરુપૂર્ણિમા મહોત્સવમાં આવ્યો છું અને ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુશક્તિઓનો ઉત્સવ છે, ગુરુશક્તિઓ સાક્ષાત્  ત્યાં વિદ્યમાન છે અને મને ગુરુશક્તિઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ગુરુશક્તિઓ દયાની સાગર છે, મારા પ્રત્યેક પાપને ક્ષમા કરી દેશે, પ્રત્યેક ભૂલને ક્ષમા કરી દેશે. આ માફી માગવાનો દિવસ છે. વચન આપીને જાઓ, હવે પછી હું પાપ નહીં કરું, જે કંઈ થયું તે અજ્ઞાનતાવશ થયું. જે કંઈ થયું ત્યારે ખબર ન હતી, હવે તો ખબર પડી ગઈને કે આ પાપ છે, ભૂલ છે. આ પાપ ફરી ન કરો. બસ, આટલું જ વચન આપીને જાઓ અને પાછલું ભૂલી જાઓ અને તેને વારંવાર યાદ કરીને કંઈ નહીં થાય. જો પાછળનું યાદ કરશો તો આગળ વધવું મુશ્કેલ બની જશે. તેને ભૂતકાળ માનીને ભૂલી જાઓ. તે જે વ્યક્તિ આવેલો તે આજે અહીં મરી ગયો. અહીંથી નવો વ્યક્તિ બની રહ્યો છે. નવનિર્માણ થઈ રહયું છે, એક નવો આત્મા શુદ્ધ, પરિશુદ્ધરૂપમાં અહીંથી બહાર નીકળી રહ્યો છે. આત્મા હંમેશા શુદ્ધ જ હોય છે. આત્મા હંમેશા પવિત્ર હોય છે. તો, એક આત્મા હંમેશા પવિત્ર હોય છે. તો, એક આત્મા બનીને અહીંથી બહાર નીકળો. બસ, બીજું કંઈ નહીં.

ચૈતન્યધારા : પાનાં નં.- 29-30.
પ્રશ્ન 40 : સ્વામીજી, આધ્યાત્મિક વ્યભિચાર કોને કહે છે ?

સ્વામીજી : આજના આધુનિક સમયમાં ઔધોગિક ક્રાંતિની સાથે-સાથે ડિસ્પોઝીબલ મેન્ટાલીટી (ઉપયોગ કરીને ફેંકી દેવાની માનસિકતા) પણ ડેવલપ (વિકસિત) થઈ ગઈ છે. આ કલ્ચર (સંસ્કૃતિ )નો ફાયદો એ છે કે આજે આપણે દર વખતે નવી આધુનિકતમ ડિઝાઇનની વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. આધુનિકતમ રંગો અને વિવિધતાઓની પણ પસંદગી કરી શકીએ છીએ અને પ્રત્યેક વિભિન્ન વસ્તુઓનો ઉપયોગ કરીને વિભિન્ન પ્રકારના આનંદનું સુખ પણ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ આવી બધી વસ્તુઓને બનાવતી વખતે એક જ વાત ધ્યાનમાં રાખવામાં આવે છે કે તે અત્યંત આકર્ષક લાગે, યુનિક (એકદમ અલગ) લાગે, પરંતુ તે વધારે સમય ,ટકે નહીં. આજ ઉદ્દેશથી તેને બનાવવામાં આવે છે. તેનાથી એટલો ફાયદો જરૂર છે કે તેની સતત માંગથી ઉત્પાદન થતું રહે છે અને અનેક લોકોને રોજગાર મળતો રહે છે... Continue...

મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2003.
પ્રશ્ન 40 : સ્વામીજી, આધ્યાત્મિક વ્યભિચાર કોને કહે છે ?

Continue...પરંતુ તેનાથી આત્મિક પ્રગતિમાં અવરોધ આવે છે. કારણ, તેમાં 'યુઝ એન્ડ થ્રો' એટલે કે 'શોર્ટ ટર્મ એન્જોયમેન્ટ', ક્ષણિક સુખોના અનુભવ અને સતત બદલતા રહેવાની ભાવનાનો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે, જે આપણા ચિત્ત માટે બાધક છે કારણ કે ચિત્ત સ્થાયીત્વથી જ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને એકાગ્રતાથી જ ચિત્તશક્તિ નિર્માણ થાય છે. સશક્ત ચિત્તશક્તિથી જ આત્મિક પ્રગતિ સંભવ છે. આ 'યુઝ એન્ડ થ્રો' સંસ્કૃતિનો પ્રભાવ આપણાં પારિવારિક જીવન પર પડે છે. પતિને પત્નીમાં પણ વિભિન્નતા જોઈએ અને પત્નીઓને પણ પતિમાં વિભિન્નતા જોઈએ. આ આપણાં ભારતીય પારિવારિક સમાજ માટે ઘાતક છે. આવા સમાજમાં લોકો પત્નીઓને, માં-બાપને, ગુરુને ઉપયોગ કરીને છોડી દે છે. આ સંસ્કૃતિની દેણથી લોકો આધ્યાત્મિક ઉન્નતિ માટે અનેક ગુરુઓની પાસે ભટકતા ફરે છે. કોઈ એકમાં શ્રદ્ધા કે એકાગ્રતા નથી હોતી. તેથી ચિત્તશક્તિનો યોગ્ય વિકાસ સંભવ નથી થતો. તેથી આધ્યાત્મિક વ્યભિચાર જે ચાલતો રહે છે તેને ચિત્તમાં લાવવાની આવશ્યક્તા નથી. પરંતુ એક સ્થાને ટકી રહીને પોતાની પ્રગતિ સાધવાની છે.

મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2003.
प्रश्न 50 : मेरे मन में आपके बारे में बहुत विचार आते है | यह भी एक विचार है, पर आपने निर्विचार रहने को कहा है, तो क्या यह ठीक है ?

स्वामीजी : हाँ, अगर आपके विचार मेरे बारे में है तो मेरी स्थिति आपको प्राप्त होगी |
मधुचैतन्य : अक्तूंबर,नवंबर,दिसंबर-2004
चैतन्य धारा
प्रश्न 49 : स्वामीजी, मैं जब ध्यान करने बैठता हूँ, तब विचार आते है, तो मुझे क्या करना चाहिए ?

स्वामीजी : अगर आपको ध्यान के समय विचार आते है तो उसे आने दो | क्योंकि, मन को ध्यान करने की अभी तक आदत नहीं हुई है | जैसे-जैसे आप नियमित ध्यान का अभ्यास जारी रखोगे, वैसे-वैसे धीरे-धीरे विचार आने के कम हो जाएँगे | जब आप विचारों पर ध्यान दोगे तब विचार ज्यादा आएँगे | इसलिए विचार आते है तो आने दो, उस पर ध्यान देने की आवश्यकता नहीं है |

मधुचैतन्य : जनवरी,फरवरी,मार्च-2006
चैतन्य धारा
प्रश्न 48 : पूज्य स्वामीजी, कृपा करके हमें यह बताइए कि आपने अपने साधनाकाल के दरम्यान कैसे अपनी प्रगति की ? कृपया उसका क्या रहस्य है, वह हमें समझाइए |

स्वामीजी : उसमें मुख्य दो बातें हैं | मैंने मेरे जीवन में सिर्फ गुरु को ही सबकुछ माना है | उसके आगे भी कुछ नहीं, उसके पीछे भी कुछ नहीं | मेरे जीवन के सारे रास्ते उन्हीं के कदमों पर समाप्त हो जाते हैं | उसके कारण एक एकाग्रता आ गई | चित्त एक ही जगह स्थिर हो जाता है | परमात्मा की शक्ति सारे ब्रह्मांड में होती है, कण-कण में व्याप्त है, पर वह मनुष्य के संग के द्वारा उसी से ही प्राप्त होती है | जैसे आपको जन्म देने वाली माँ है, उसका स्थान कोई भी नहीं ले सकता | ठीक उसी तरह जिसने आपकी आत्मा की जागृति की है, वही आपकी माँ है | वही आपकी पुर्ण एकाग्रता होनी चाहिए | उसी के द्वारा आपको परमात्मा की अनुभूति हो जाएगी | आप परमेश्वर पर छोड़ दीजिए कि उसने किस माध्यम को आपके लिए चुना है ? किस माध्यम से आपसे मिलना चाहता है ? आप उसको जानो, पहचानो, आपकी प्यास वहीं से बुझ जाएगी | यह ईश्वरीय संकेत है - आपको उस माध्यम पर पूर्ण एकाग्रता रखते हुए पूर्ण विश्वास के साथ परमेश्वर के संकेत को मान्य करके जुड़े रहना है | सारी वैश्विक चेतना उन्हीं के द्वारा तुम तक पहुँच जाएगी |
          दूसरा, जैसे कि एक बैलगाड़ी हो, जिसके दो पहिए होते हैं | उनमें अगर एक पहिया कितनी भी तेजी से चले, वह बैलगाड़ी उतनी तेजी से चल नहीं सकती है | उसको तेज चलाने के लिए दूसरे पहिए को भी उतनी ही गति देनी होगी | मैंने भी अपने जीवन में अपनी धर्मपत्नी को वह खुशी दी है | आप भी अपनी गृहलक्ष्मी को खुश रखेंगे तो ही आपकी प्रगति हो सकती है | मैं घर में सिर्फ 4 दिन रहता हूँ फिर भी उसका सारा काम संभाल लेता हूँ | मेरी पत्नी को गरम-गरम रोटी बनाकर खिलाता हूँ | भले ही थोड़े समय के लिए रहता हूँ, उन 4 दिनों में उनको उतनी प्रसन्नता प्रदान  करता हूँ कि वह 40 दिन तक उन पर छाई रहती है | आप कितने सानिध्य में रहे, वह आवश्यक नहीं है | पर आप उसे कितनी खुशी दे सकते हो, वह महत्व का है | आपकी पत्नी आपके जीवन में बाधक और साधक दोनों बन सकती हैं | हमारे एक साधक थे | वे हर बार मेरे कार्यक्रम में आते थे, पर पत्नी को साथ में नहीं लाते थे | जब अबकी बार मैंने उसे पूछा - साथ लाए हो ? तब उन्होंने उत्तर दिया, हाँ, लाया हूँ | वह बहुत खुश है | कहने का तात्पर्य यह है कि आपकी गृहलक्ष्मी आपकी एक स्त्रीशक्ति है | स्त्रीशक्ति को प्रसन्न करके ही स्त्रीशक्ति की आराधना हो सकती है | एक स्त्रीशक्ति को अप्रसन्न  रखकर आपकी आध्यात्मिक प्रगति नहीं हो सकती है | आप उसके लिए अच्छे पति बनिए | रसोई में मदद करें और घर में एक प्रसन्नता  का वातावरण पैदा करें | यह बहुत ही आसान मार्ग है | आप 4 रविवार किचन सँभाल लो | क्या फर्क हो जाएगा,  आप खुद ही जान जाओगे 

मधुचैतन्य : जुलाई,अगस्त,सितंबर-2002
चैतन्य धारा
प्रश्न 52 : - मोक्ष क्या है ?

स्वामीजी : - मोक्ष ध्यान की उच्च अवस्था है | यह जीते-जी ही प्राप्त करनी होती है | मुक्त होती है, वह है आत्मा | वह कभी मरती नहीं है | और जो मरता है, वह है शरीर | यानी शरीर के मरने के पूर्व आत्मा से मुक्त हो जाना ही मोक्ष है और मुक्त, शरीर होते हुए होना चाहिए | ...सरल शब्दों में कहे तो जीते-जी मर जाना ही मोक्ष है | अगर जीवनकाल में ही वह स्थिती प्राप्त हो जाए कि और जीने की भी लालसा जीवन में न रही हो, तो कोई कारण ही नहीं रह जाता कि मनुष्य दूसरा जन्म ले | यह संपूर्ण तृप्त स्थिती ही मोक्ष की स्थिती है |

चैतन्य धारा

Comments