કર્મથી મુક્તિ

હમણાં હાલમાં જ થયેલા ચૈતન્ય મહોત્સવમાં છેલ્લા દિવસે ધ્યાનનો જે કાર્યક્રમ થયો એ એક અલગ અનુભવ હતો અને જે આત્માઓએ તે પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રૂપે તેમાં જોડાયાં,તેઓ ખુબજ ભાગ્યશાળી હતા.પરંતુ દરેક લોકો એ ચૈતન્યનો પ્રસાદ લઈ શકે એટલા માટે હવે સૌને એનો અનુભવ કરાવવાના ઊદેસથી આ સીડીથી પ્રસાર કરો,આને જ ગિફ્ટ કરો એટલે જે પ્રસાદ આપણે મંદિરમાં જઈને લઈ આવ્યા છીએ, એ પ્રત્યેક મનુષ્યને મળે કારણે કે આખુ વિસ્વ જ આપણો પરિવાર છે . `વસુધૈવ કુટુમ્બકમ્' આપણૉ ઘોષ વાક્ય છે. બધા મનુષ્ય ભાગ્યશાળી નથી હોતા કે જે મંદિરે જઇ શકે અને પરમાત્માનુ સાનિધ્ય પામી શકે . છેલ્લા ત્રણ દિવસથી સવારે હુ આનાથી જ ધ્યાન કરી રહ્યો છું . આજે લાગ્યું કે આ પ્રસાદ બધાને મળવો જોઈએ, એટલા માટે આ સંદેશ લખ્યો છે .
             તમને સૌને ખુબ ખુબ આશીર્વાદ!            
                              તમારા પોતાના,    બાબા સ્વામી
૦૮/૧૨/૨૦૧૮

(સંદર્ભે:પૂજ્ય ગુરુદેવનો સોશ્યલ મિડિયા પર પ્રસારિત સંદેશ)

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

पूर्वजन्म के कर्मों का प्रभाव इस जन्म पर भी होता है