'સામૂહિક ધ્યાન' એ એકમાત્ર પ્રયાસ છે જે નિયમિત કરવાથી મનુષ્ય પોતાના અસ્તિત્વને સમાજમાં સુરક્ષિત રાખી શકે છે.

 " 'સામૂહિક ધ્યાન' એ એકમાત્ર પ્રયાસ છે જે નિયમિત કરવાથી મનુષ્ય પોતાના અસ્તિત્વને સમાજમાં સુરક્ષિત રાખી શકે છે. વૈચારિક પ્રદૂષણના પ્રભાવમાં સદેવ રહેવાથી કોઇ પણ મનુષ્ય ધ્યાન કરી શકે, એવી સ્થિતિમાં નહીં હોય. એટલા માટે, એને નિયમિત ધ્યાન કરવા માટે હંમેશાં જ સામૂહિકતાની આવશ્યકતા રહેશે, એવી સામૂહિકતાની, જે પવિત્ર આત્માઓનો સમૂહ હોય.
એવા પવિત્ર આત્માઓના સાનિધ્યમાં જો કોઇ એક આત્મા આવી ને બેસી જાય છે તો તેને પણ એ સ્થિતિ અનાયાસે જ પ્રાપ્ત થઈ જશે. ધ્યાનકેન્દ્ર તે 'પવિત્ર સ્થાન' હશે જ્યાં નિયમિતરૂપે પવિત્ર આત્માઓ ફક્ત અને ફક્ત ધ્યાન કરવાના એકમાત્ર પવિત્ર ઉદ્દેશથી જ.આવીને એકત્રિત થશે અને આત્મશાંતિને પ્રાપ્ત કરશે.
કેન્દ્રથી આશય એ પવિત્ર સ્થાનનો છે જ્યાં કેવળ એક જ પ્રકારનું ધ્યાન થાય છે, એક જ સમર્પણનો ભાવ લઈને, ત્યાં એક જ સકારાત્મક ભાવ લઈને લોકો આવતા હોય, નિયમિત ધ્યાન કરતા હોય અને સમૂહિક પ્રાર્થના કરતા
હોય, સામૂહિક 'આરાધના' કરતા હોય, અને સહુમાં આત્મીય સંબંધ હોય.
જ્યાં સુધી આત્મીયતા નહીં હોય, ત્યાં સુધી તે સમૂહ તો ભીડ જ કહેવાશે. સામૂહિક પ્રાથનામાં, સમૂહમાં આત્મીયતા હોવી અત્યંત આવશ્યક છે. મનુષ્ય થોડો સમય માટે પણ કેમ ન હોય, એક એવા સ્થાન ઉપર એકત્ર થાય, જ્યાં શરીરથી નહીં, આત્મા બનીને એકત્ર થાય. એક થોડા સમય માટે પણ જો મનુષ્યે પોતાના શરીરના વિકારો ઉપર નિયંત્રણ કર્યું તો ધીરે-ધીરે આ જ ભાવ એના આખા જીવન ઉપર પણ પડશે."
હિ.સ.યોગ.૫,પેજ.૩૬૩.
🍁💐🍁💐🍁💐🍁💐

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami