ભાવવાળુ શરીર જ સદગુરુ કહેવાય
" આધ્યાત્મિક ક્ષેત્રમાં 'મા' નો અર્થ તે શરીરથી છે જેમાં આપવાનો ભાવ મેળવવાના ભાવ કરતાં વધારે હોય છે. આ ભાવવાળુ શરીર જ સદગુરુ કહેવાય છે, માઉલી (મા) કહેવાય છે, માતા કહેવાય છે.
હિમાલયનાં આ ગુરુઓને તે મા ની શોધ હતી, તે સદગુરુની શોધ હતી જેમણે આપવાના ઉદ્દેશથી જન્મ લીધો હોય. કોઇને પણ શક્તિઓ પ્રદાન કરવા માટે આપવાનો ભાવ હોવો જોઇએ. આ આવશ્યકતા જાણીને તેમણે પોતાની ઈચ્છાશક્તિથી મા જેવા શરીરનું નિર્માણ કર્યું.
તે શરીર , તે માધ્યમ તમે છો. તમારા આ શરીરરૂપી માધ્યમ દ્વારા જ તેઓ પોતાનું સમગ્ર ગ્યાન, જે આજ સુધી તેમના સુધી સીમિત હતું, તે મનુષ્ય સમાજને આપવા જઈ રહ્યા છે.
આત્માની કરુણાથી જ આત્માનો જન્મ થાય છે. તમે કરુણામય મા છો. જે લાખો આત્માઓને જન્મ આપશે. "
-હિ.સ.યોગ, ૩. પેજ. ૭૮.
Comments
Post a Comment